Sunday, February 10, 2019

મહાભારત પાત્ર પરિચય - બુધ પુત્ર પુરુરવા

           નમસ્કાર મિત્રો મહાભારત પાત્ર પરિચય ની શ્રેણીમાં આજનું પાત્ર છે બુધ પુત્ર પુરુરવા. પુરુરવા પ્રાચીન સમયના પ્રસિદ્ધ રાજા હતા જે બુધ અને ઈલા ના સંયોગથી પેદા થયેલા હતા એમની રાજધાની પ્રતિષ્ઠાનપુર માં ગંગા નદીના કિનારા પર પ્રયાગરાજમાં હતી. હરવંશ અને અન્ય પુરાણો અનુસાર દેવગુરુ બૃહસ્પતિ પત્ની તારા અને ચંદ્ર ના સંયોગથી બુધ ઉત્પન્ન થયો જે ચંદ્ર વંશ નો મૂળ પુરુષ હતો. બુધનો ઇલાની સાથે વિવાહ થયો જેના ગર્ભ થી પુરુંરવા પેદા થયા જે ખૂબ જ બુદ્ધિવાળા અને રૂપવાન હતા. નારદ ઋષિ ના મોઢે થી દેવ સભામાં તેમના વખાણ સાંભળીને અપ્સરા ઉર્વશી તેમના પર મોહિત થઇ ગઈ, અને તે પૃથ્વીલોક ઉપર આવવા માટે આતુર થઈ ગઈ.
          ઋગ્વેદ અનુસાર સ્વર્ગની અપ્સરા ઉર્વશી અને મૃત્યુલોકના પુરુષ પુરુરવા ના પ્રેમ પ્રસંગની અજર અમર કથા ઇન્દ્રલોક અને પૃથ્વીલોકની અંતર સંબંધોની સ્પષ્ટ ઝલક પ્રસ્તુત કરે છે.જ્યારે ઇન્દ્રની સભામાં પુરુરવા ની ચર્ચા અપ્સરા ઉર્વશી એ સાંભળી ત્યારે તે મનમાં ને મનમાં તેમના ઉપર આસક્ત થઈ ગઈ. પૃથ્વીલોકના માણસ પર આસક્ત થવાને કારણે તેમના મિત્ર વરુણ અને અન્ય દેવતાઓ તેમના પર ક્રોધિત થઈ ગયા. અને તેમને પૃથ્વી પર પતિત થવાનો શ્રાપ આપ્યો. પૃથ્વીલોક પર પરમ દેવ સ્વરૂપ અને ક્રાંતિમય ઈલા ના પુત્ર પુરુરવા ઉર્વશી પર આસક્ત થઈ ગયા. તેમણે એ સુંદરીને પોતાની જીવનસંગિની બનાવી લીધી. પરંતુ સ્વર્ગ લોક થી ભ્રષ્ટ થયેલી ઉર્વશીએ તેના માટે ત્રણ શરતો રાખી.

1. પુરુરવા તેની સહમતિથી જ તેની સાથે સમાગમ કરી શકશે

2. તે કોઈ દિવસ તેને નગ્ન સ્વરૂપમાં દેખાશે નહીં

3. એક દિવસમાં ત્રણ વખત થી વધારે તે સમાગમ માણી શકશે નહીં.
         ઋષિ પુરુષ પુરુરવા માટે આ ત્રણ શરતો સામાન્ય હતી અને તેનો સંયમ પાડવો તેમના માટે કઠિન ન હતો એટલા માટે તેમને હા પાડી દીધી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા. ઉર્વશી ના શયન કક્ષમાં બે ધેટાઓ રાખવામાં આવેલા હતા ,જેને તે પુત્રવત માનતી હતી. દેવતા ગણ અને ઇન્દ્ર સ્વર્ગમાં ખૂબ જ સૌંદર્યવાન ઉર્વશી ની અનુપસ્થિતિમાં દુઃખી રહેવા લાગ્યા,અને  તેઓ ઉર્વશી ને પાછી લાવવાના ઉપાયો વિચારવા લાગ્યા. એક દિવસ વિશ્વા વસુ અને અન્ય ગંધર્વો ચોરીછૂપીથી ઉર્વશી ના ઘેટા ઓ નુ અપહરણ કરવા આવી ગયા.અહી શયન કક્ષ મા ઉર્વશીએ બુમરાણ મચાવી દીધી આ શોર બકોર સાંભળીને પુરુરવા ઉઠી ગયા અને ઘેટા ઓને ગાંધર્વો થી છોડાવી લીધા ત્યારે જ નક્કી કરેલા ષડયંત્ર મુજબ ગંધર્વો એ માયાથી પ્રકાશ ફેલાવી દીધો અને ઉર્વશીએ પુરુરવા ને નગ્ન અવસ્થામાં દેખી લીધા. ક્રોધ ની મારી ઉર્વશી શર્ત મુજબ સ્વર્ગ ચાલી ગઈ અને પુરુરવા તેને શોધતા રહી ગયા
           એક દિવસ વિરહ વ્યાકુળ અને પ્રેમ મુગ્ધ પુરુરવા કુરુક્ષેત્રમાં વિશ્વ યોજન નામના રમણીક સરોવર પહોચ્યા તેમણે સરોવરમાં પૂર્વે ક્યાંય ના દેખી હોય તેવી હંસલિયો ને જળક્રીડા કરતા અને તેમાં મગ્ન થઈ જતા દેખી વાસ્તવમાં તે બધી સ્વર્ગની અપ્સરાઓ હતી જે બધી જલવિહાર કરવા પૃથ્વી પર ઉતરી આવી હતી.
            પુરુરવા તેમની જળક્રીડા દેખીને ભાવવિભોર થતા રહ્યા અને થોડા સમય પછી તે હંસલી ઓ પૂર્વવત્ તેમના અપ્સરાઓના મૂળ સ્વરૂપ માં આવી ગઈ. પરંતુ હજી પણ એક હંસલી જળ માં જ વિહાર કરી રહી હતી, અને પુરુરવા ને દેખી રહી હતી તે ઉર્વશી અપ્સરા હતી. તેણે વિરહ વ્યાકુળ પુરુરવા ને પોતાની વિવશતા દર્શાવી, અને કહ્યું કે પૃથ્વી પર રહેવું તેના માટે સંભવ નથી એટલા માટે તે પોતાનો રાજકાજ સંભાળે અને તેને ભૂલી જાય ઉર્વશીએ તેને જીવિત રહેવાની પ્રેરણા આપી અને અંતર્ધ્યાન થઈ ગઈ .જતા જતા તે કહેતી ગઈ કે તે ગર્ભવતી છે અને એક વર્ષ પછી પોતાના સંતાનને દેખવા માટે આવે અને એક રાત્રી તેની સાથે વ્યતીત કરે અને પોતાના પુત્રને પોતાની સાથે લઇ જાય અને તેણી એ કહ્યું કે દેવતાઓનું વચન છે કે પુરુરવા મૃત્યુંજય થઈ જશે અને યજ્ઞ કરીને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિનો અધિકારી બની જશે.
            એક વર્ષ વીતી ગયા પછી પુરુરવા ઉર્વશી ને મળવા સ્વર્ગમાં ગયા તેમનો અલૌકિક પ્રેમ જોઈને દેવ અને ગંધર્વો તેમના પર મુગ્ધ થઇ ગયા. તેમણે તેમને પવિત્ર અગ્નિ આપી અને કહ્યું આનાથી યજ્ઞ કરવા પર તમે પવિત્ર થઈ જશો અને તમે સ્વર્ગમાં રહી શકશો. થાળીમાં આપેલા અગ્નિદેવ અને પોતાના પુત્રને લઈને પુરુરવા પૃથ્વી પર પાછા આવી ગયા. આવતા સમયે તે થાળી અને અગ્નિને જંગલમાં ક્યાંક ભૂલી ગયા. જ્યારે તે તેને પાછી મેળવવા જંગલમાં ગયા ત્યારે તે તેમને ક્યાંય ન મળી કારણકે થાળી શમી વૃક્ષમાં અને અગ્નિ પીપળના વૃક્ષ માં પરીવર્તીત થઈ ગઈ હતી.                      પુરુરવા તેને મેળવવા વ્યાકુળ થઈને ફરતા રહ્યા. તેમની વ્યાકુળતા દેખીને ગંધર્વો એ તેમને દર્શન દીધા,અને કહ્યું કે ખોવાયેલી વસ્તુ પાછી મેળવી શકાતી નથી. પરંતુ તેને યજ્ઞ કરી પાછી મેળવી શકાય છે. અને ગંધર્વો એ તેમને યજ્ઞની વિધિ સમજાવી પુરુરવા એ પીપળના અને સમીના વૃક્ષ ના લાકડા ના મંથનથી યજ્ઞની અગ્નિ પ્રાપ્ત કરી. અને યજ્ઞ કરીને તે ગંધર્વ બન્યા, ગંધર્વો પ્રસન્ન થયા કારણકે પુરુરવાના પુરુષાર્થથી અગ્નિ ત્રણ પુણ્ય અંશોમાં સ્થાપિત થઈ આહવાનીય અગ્નિ, ગારહ્યપત્ય અગ્નિ અને દક્ષિણ અગ્નિ                        ક્ષત્રિય કુળના હોવા છતાં પણ, પુરુરવા એ બ્રાહ્મણત્વ ને ગૌરવવંતુ બનાવ્યું હતું તેથી ગંધર્વો ના વરદાનથી તે સૂર્ય ના સમકક્ષ પ્રતિષ્ઠિત થયા ઉર્વશી થી તેમને પવિત્ર ઉષા અને વાંછિત પુત્ર આયુ કુમારના રૂપમાં પ્રાપ્ત થયા અને દશે દિશાઓમાં દેવ અને ગંધર્વ લોકોમાં તેમની પ્રેમ કથા અજર અમર બની ગઈ
              મહા યશસ્વી પુરુરવા મનુષ્ય થઈને પણ માનવેતર પ્રાણીઓથી ઘેરાયેલા રહેતા હતા. પોતાના બળ અને પરાક્રમ થી ઉન્મત્ત થઈને બ્રાહ્મણોની સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા. બિચારા ગરીબ બ્રાહ્મણ વાદવિવાદ કરતા રહેતા તોપણ તે તેમનું બધુજ ધન અને રત્નો છીનવી લેતા હતા. જન્મેજય બ્રહ્મલોક થી સનત કુમારો એ આવીને તેમને બહુ સમજાવ્યા કે બ્રાહ્મણો પર અત્યાચાર ન કરો પરંતુ તેમણે તેમની વાત ન માની ત્યારે ક્રોધથી ભરેલા તેમણે તાત્કાલિક શાપ આપ્યો જેનાથી તે નષ્ટ થઈ ગયા રાજા પુરુરવા લોભી અને બાહુબલી ના ઘમંડથી પોતાની વિવેક શક્તિઓ ખોઈ બેઠા હતા. પરંતુ તે જ પુરુરવા ગંધર્વ લોકોમાં સ્થિત ત્રિવિધ અગ્નીઓ અને અપ્સરા ઉર્વશી ને પૃથ્વીલોકો પર તે લાવ્યા હતા.
ઇલા નંદન પુરુરવાના છ પુત્રો હતા જેના નામ આયુ ,ધીમાન, અમાવસુ, દ્રઢાયુ, બનાયુ અને શતાયુ હતા આ બધા જ ઉર્વશી થી પેદા થયેલા પુત્ર હતા એમાંથી આયુ ના સ્વભાનુકુમારી ના ગર્ભ થી પાંચ પુત્રો પેદા થયેલા બતાવવામાં આવે છે જેના નામ નહુષ વૃદ્ધશર્મા, રજિ, ગય અને અનેના હતા આયુરનંદાં નહુષ ખૂબ જ બુદ્ધિવાળા અને સત્ય પરાક્રમી હતા.

Saturday, February 2, 2019

મહાભારત પાત્ર પરિચય - અત્રી પુત્ર ચંદ્ર અને ચંદ્ર પુત્ર બુધ

           નમસ્કાર મિત્રો મહાભારત પાત્ર પરિચય શ્રેણીમાં આજનો લેખ અત્રી પુત્ર ચંદ્ર વિષે છે. બ્રહ્માના પુત્ર અત્રિ એ બ્રહ્માના પુત્ર કર્દમ ની પુત્રી અનસુયા સાથે લગ્ન કર્યા હતા. તેની માતાનું નામ દેવહુતિ હતું. અત્રિ-અનસુયા થી એક પુત્ર જન્મ્યો જેનું નામ દત્તાત્રેય હતું. અત્રિ દંપતિ ની તપસ્યા અને ત્રિદેવો ની પ્રસન્નતાના ફળ સ્વરૂપ વિષ્ણુના અંશથી મહાયોગી દત્તાત્રેય, બ્રહ્માના અંશથી ચંદ્રમા તથા ભગવાન શંકરના અંશથી મહામુનિ દુર્વાસા નો જન્મ થયો હતો. તે સિવાય તેમને બ્રહ્મવાદિની નામની એક કન્યા પણ હતી.

ચંદ્રમા

           ચંદ્રમા બ્રહ્માના અંશથી પેદા થયેલા પુત્ર હતા. ચંદ્રને પ્રજાપતિ બ્રહ્મા એ ઔષધિઓનો જાણકાર બનાવ્યો હતો. પોતાના રાજ્યની મહિમા વધારવા માટે એક વાર ચંદ્રએ રાજસૂય યજ્ઞ કર્યો. આ યજ્ઞ ખૂબ સફળ રહ્યો આ રાજસુય યજ્ઞ ની સફળતાથી ચંદ્ર  એટલો અભીમાની થઈ ગયો કે તેણે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ની સુંદર પત્ની તારાનું હરણ કરી લીધું દેવ ઋષિ બૃહસ્પતિ પોતાની પત્નીને પાછી મેળવવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થયા ત્યારે આ કાર્યમાં મદદ માટે દેવરાજ ઇન્દ્ર પાસે ગયા દેવરાજ ઇન્દ્ર એ ચંદ્રમાને ખૂબ સમજાવ્યો પરંતુ તે કોઈ પણ રીતે માન્યો નહી. ત્યારે બ્રહ્મા વગેરે બીજા અન્ય દેવતાઓએ પણ ચંદ્રમાને સમજાવવાની ખૂબ કોશિશ કરી તેમ છતાં પણ તેમને કોઈની વાત માની નહીં અને બૃહસ્પતિ પત્ની તારા ને પાછી સોંપવાનો સાફ ઇનકાર કરી દીધો તેનાથી ક્રોધિત થઈને દેવરાજ ઈન્દ્રએ વિશાળ સેના સાથે ચંદ્રમા પર ચડાઈ કરી.
          જેવી રીતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ હતા હતા તેવી જ રીતે દાનવોના ગુરુ શુક્રાચાર્ય હતા બંને એકબીજાથી અદેખાઈ રાખતા હતા એ જ કારણે જ્યારે દેવરાજ ઈન્દ્રે દેવગુરુ બૃહસ્પતિનો પક્ષ લઈને જ્યારે ચંદ્ર પર ચડાઈ કરી તો દૈત્યગુરૂ શુક્રાચાર્યે ચંદ્રમાની સહાયતા માટે સેના લઈને રણ મેદાનમાં આવી ગયા શુક્રાચાર્યની સેના ખૂબ જ બળવાન હતી જેમાં જમ્ભ અને કુંભજેવા ભયંકર દૈત્ય સામેલ હતા. આ રીતે તારાને મેળવવા માટે દેવ અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ છેડાઈ ગયું જેને દેવાસુર સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ દેવાસુર સંગ્રામ એટલું ભયંકર હતું તે સંસારના બધા જ પ્રાણીઓ ક્ષુબ્ધ થઈ ગયા, અને બધા ભેગા થઈને બ્રહ્માજીની પાસે ગયા બ્રહ્માજીએ આ યુદ્ધમાં સંધિ કરાવીને યુદ્ધ ને શાંત કર્યું આ સંધિ વાર્તાને માનીને ચંદ્રએ તારાને દેવગુરુ બૃહસ્પતિને પાછી સોંપી દીધી
           જ્યારે તારા દેવગુરુ બૃહસ્પતિની પાસે પાછી આવી ત્યારે તે ગર્ભવતી હતી તેને ગર્ભાવસ્થામાં જોઈને બૃહસ્પતિના ક્રોધનો પાર ન રહ્યો અને ક્રોધિત થઈને તેઓ બોલ્યા મારા ઘરમાં રહેવું હોય તો મારે બીજાનું બાળક ન જોઈએ, તેને મારાથી દૂર કરો આમ કહેવા પર તારા એ દૂર ઝાડીઓમાં જઈને પેટ પર પ્રહાર કરી ગર્ભ ત્યાગી દીધો. જે ગર્ભ ને તારા એ ઝાડી ઓ માં ત્યાગી દીધો હતો તે સુંદર તેજધારી બાળક હતો. તે એટલો સ્વરૂપવાન હતો કે બધા જ દેવતાઓ નું તેજ તેની આગળ ફિકુ લાગતું હતું. સુંદર અને તેજ ધારી બાળક જોઈ ને ચંદ્રમાં અને બૃહસ્પતિ બંને મુગ્ધ થઈ ગયા હવે બંને તે બાળકને અપનાવવા માંગતા હતા એ વાતને લઈને તે બંનેમાં ખેંચાતાણી થઈ ગઈ અને વાત એટલી વધી ગઈ કે બંને ફરીથી દેવતાઓના શરણમાં જવું પડ્યું.
           બાળકને અપનાવવાની બંનેની ઉત્સ્તુક્તા દેખીને દેવતાઓને વહેમ પડ્યો અને વિસ્મય પામી ને તેઓ વિચારવા લાગ્યા કે આ બાળક કોનો પુત્ર છે? જ્યારે આ જાણકારી મેળવવા ના બધાજ ઉપાયો નાકામિયાબ રહ્યા ત્યારે તેમણે તારા ને બોલાવી ને પૂછ્યું કે હે દેવી તારા  સત્ય બોલી ને જણાવો કે તમારા ગર્ભથી ઉત્પન્ન થયેલો આ પુત્ર કોનો છે. આના પર સ્ત્રીસહજ લજ્જાને વશ થઈને તારા એ કંઈ પણ જવાબ ના આપ્યો અને ચૂપચાપ ઊભી રહી.                  દેવતાઓના વારંવાર પૂછવા પર પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. આમ જોઈને તારાનો પુત્ર ક્રોધિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે હે માતા જલ્દી બતાવો કે હું કોનો પુત્ર છું, નહિ તો હું તમને ભયંકર શાપ આપી દઈશ. શાપ થી થવા વાળા ભયંકર પરિણામોને ધ્યાનમાં રાખીને બ્રહ્માજીએ તે બાળકને તેમ કરવાની મનાઈ ફરમાવી, અને બ્રહ્માજી એ સ્વયં તારા ને પૂછ્યું કે હે દેવી બતાવો કે આ કોનો  પુત્ર છે. બ્રહ્માજીના પૂછવા પર તારાએ જણાવ્યું કે આ બાળક ચન્દ્રનો પુત્ર છે. તારા ના મોઢે થી આ સાંભળીને ચંદ્રની ખુશીનો કોઈ પાર ન રહ્યો પ્રસન્નતાથી ગદગદ થઇ જઈ હસતા હસતા બાળકને ગળે લગાડ્યો, પ્રેમથી તેના ગાલે ચૂમી લીધી અને લાડ ભર્યા શબ્દોમાં બોલ્યા હે વત્સ તું અતિ ઉત્તમ,અતિ સુંદર અને અતિ બુદ્ધિમાન છો એટલા માટે તમારું નામ હું બુધ રાખું છું. આ રીતે ચંદ્ર નો પુત્ર બુધ તરીકે વિખ્યાત થઈ ગયો. જેણે  ચંદ્રવંશની સ્થાપના કરી. આ વંશના રાજા પોતાને ચંદ્રવંશી તરીકે ઓળખાવે છે. જોકે ચંદ્ર અત્રિ ઋષિનાજ સંતાન હોવાને કારણે આત્રેય પણ ચંદ્રવંશી તરીકે ઓળખાયા. બ્રાહ્મણો માં એક ઉપનામ છે આત્રેય એટલે કે અત્રિના સંતાનો.
         બૃહસ્પતિ પત્ની તારાનું હરણ કરવાથી ચંદ્રમાં અને બૃહસ્પતિ વચ્ચે યુદ્ધ થયું અંતમાં ભગવાન બ્રહ્મા ના હસ્તક્ષેપને કારણે ચંદ્રમાએ તારા ને બૃહસ્પતિને પાછી સોંપી. ચંદ્રવંશના પ્રથમ રાજા નું નામ પણ સોમ હતું જેણે પ્રયાગ પર શાસન કર્યું હતું.
          અત્રી થી ચંદ્રમા , ચંદ્રમા થી બુધ, બુધ થી પુરુરવા, પુરૂર્વાથી આયુ, આયુ થી નહુષ, નહુષ થી યતિ, યયાતિ, સંયાતી, આયાતી, વિયાતિ અને કૃતિ નામના ૬ મહા બળશાળી અને વિક્રમી પુત્ર થયા. નહુષ નો મોટો પુત્ર યતી હતો જે સંન્યાસી થઈ ગયો, અને તેમનો બીજો પુત્ર યયાતિ રાજા થયો. અને તેનાથી જ ચંદ્રવર્ષ આગળ વધ્યો.
         યયાતિ ના પાંચ પુત્ર હતા જેમો દેવયાનીથી યદુ અને તુર્વસુ તથા શર્મિષ્ઠા થી દૃહનું, અનું અને પૂરું થયા. જેમાં યદુ થી યાદવ , તુર્વસુ થી યવન, દૃહનું થી ભોજ, અનુ થી મલેચ્છ અને પૂરું થી પૌરવ વંશ ની સ્થાપના થઇ.

Tuesday, January 8, 2019

મહાભારત પાત્ર પરિચય - મહર્ષિ અત્રિ

             નમસ્કાર મિત્રો આજના મહાભારત પાત્ર પરિચય મો હું આજે આપને મહર્ષિ અત્રિ કેજે બ્રહ્માના પુત્ર છે તેમનો પરિચય આપવા જઈ રહ્યો છું મહાભારત ની વંશાવલી અને મહાભારત યુદ્ધ માં મહર્ષિમ અત્રિ નું મહત્વપૂર્ણ યોગદાન છે
મહર્ષિ અત્રી
  મહર્ષિ અત્રિ બ્રહ્માના પુત્ર છે. વળી તેઓ નવ પ્રજાપતીઓ પૈકિના એક માનવામાં આવે છે. અત્રિ ગોત્ર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય માં જોવા મળે છે. ઋગ્વેદના પાંચમા મંડલના રચયેતા એવા અત્રિ ઋષિના પત્નિ અનસુયા દેવી કે જેઓ પ્રજાપતી કર્દમના પુત્રી હતા, તેમનાથી ભગવાન દત્તાત્રેય, દુર્વાસા અને સોમ જેવા સમર્થ પુત્રો થયા. તેમણે અનસુયા દેવીને અનેક વરદાન આપ્યા હતા કારણકે અનસુયા દેવીએ સૂર્યભગવાનને પૂર્વમાં ઉદય થવા મદદ કરેલી. સોમ ચંદ્રાત્રિ, દુર્વાસા કૃષ્ણાત્રિ તરીકે ઓળખાય છે.સોમે સોમનાથ જ્યોતીર્લિંગની સ્થાપના કરી.

મહાભારત


            અત્રિ ઋષિનું મહત્વ મહાભારતમાં પણ અનેક સ્થળોએ જોવા મળે છે. જ્યારે દ્રોણ કૌરવસેનાના પ્રધાન સેનાપતી બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું. તેમણે સહસ્ત્રો યોદ્ધાઓનો સંહાર કર્યો. હજારો શબોના ઢગ થઈ ગયા અને રક્તની નદીઓ વહેવા માંડી. ઘાયલ સૈનિકોનું આક્રંદ આકાશને વિદિર્ણ કરવા લાગ્યું. આવા રણસંગ્રામમાં તેઓ નિર્દયી અને ક્રુર નાયક થઈ ઊભા હતા. આવા સમયે અત્રિ ઋષિને ચિંતા થઈ કે આવી રીતે જ જો ચાલતુ રહ્યું તો માનવ જાતીનું સંતુલન બગડી જશે. અત્રિ, ગૌતમ ઋષિ અને અન્ય પાંચ સપ્તર્ષિઓ યુદ્ધભૂમિ પર પ્રગટ થયા. આવા સમયે યુધીષ્ઠિરે અશ્વસ્થામા હણાયાની જાહેરાત કરી. આથી દ્રોણ પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને જીજીવિષા ત્યાગી દીધી. તેઓ અત્યંત ક્રોધિત થયા.
             અત્રિ ઋષિને દ્રોણ પર દયા આવી અને તેમણે આ પ્રમાણે હિતોપદેશ આપ્યો: "હે દ્રોણ, તમે મૂળથી જ અધર્મનો સાથ આપ્યો છે. આ યુદ્ધભૂમીમાં હોવુ એ જ તેનું શ્રેષ્ઠ પ્રમાણ છે. બસ બહુ થઈ ગયુ હવે બંધ કરો. બંધ કરો આ સંહાર. તમે એક સજ્જન છો. આવો વિનાશ તમને ન શોભે. તમે વેદાંતના આચાર્ય છો. તમે બ્રાહ્મણ છો અને તમારે બ્રાહ્મણધર્મનું પાલન કરવું જોઇયે. આ અધર્મયુક્ત યુદ્ધકર્મ તમને ન શોભે. શસ્ત્રો ત્યાગી દ્યો, મનને ધર્મમાં પરોવો. મને ખેદ થાય છે કે તમે બ્રહ્માસ્ત્ર જેવાં વિનાશક અસ્ત્રનો પ્રયોગ આવ નિર્દોષ સૈનિકો પર કર્યો. આવા નિરર્થક સંહારને બંધ કરો."
           અત્રિ ઋષિએ આ પ્રમાણે જ્યારે હિતોપદેશ આપ્યો ત્યારે દ્રોણે હથીયાર ત્યાગી દીધા. વળી ક્રોધ, ઈર્ષા અને પ્રતિશોધની ભાવના ત્યાગી દીધી અને તેમનું હ્રદય શુદ્ધ થઈ ગયું. તેઓ ધ્યાનસ્થ થઈ ગયા અને આવી ભીષણ યુદ્ધભૂમિમાં પણ તેઓ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવા મંડ્યા. આમ અત્રિઋષિના પ્રભાવથી તેમનું કલ્યાણ થયું.
              એક વાર ત્રિદેવોએ અનસુયાના સતીત્વની પરિક્ષા લેવા વિચાર્યું. તે ઓ બ્રાહ્મણ વેશે ત્યાં આવ્યા અને ભિક્ષા માંગી. પણ ભિક્ષા આપવાની શરત એ મુકી કે અનસુયાજીએ નગ્ન જ ભિક્ષા પીરસવી. અનસુયાજી એ આ શરત સ્વિકારી અને તપોબળથી ત્રિદેવોને શિશુ બનાવી દિધા અને ત્યાર બાદ શરત મુજબ ભિક્ષા આપી. ત્યાર બાદ ત્રિદેવોએ વિનંતી કરતા તેમણે મૂળ રુપ આપ્યું. ત્રિદેવોએ પસન્ન થઈ ત્રણ પુત્રોનું વરદાન આપ્યું; દત્તાત્રય (વિષ્ણુનો અવતાર), ચંન્દ્રાત્રિ (સોમ, બ્રહ્માનો અવતાર) અને કૃષ્ણાત્રિ (દુર્વાસા શિવનો અવતાર)
           ભગવાન રામ તેમના વનવાસના ચૌદમાં વર્ષમાં અત્રિ ઋષિના આશ્રમમાં ગયા હતા. ત્યારે અત્રિ ઋષિએ તેમનું યથોચિત સ્વાગત કર્યા પછી તેમને દંડકારણ્યનો માર્ગ બતાવ્યો હતો.                                     અત્રી ઋષિ અનેકો ગુહ્ય મંન્ત્રોના દ્રષ્ટા ગણવામાં આવે છે. તેમણે અનેકો મંન્ત્રો ભારતીય હિંન્દુ શાસ્ત્રને આપ્યા છે. તેમના વંશમાં અનેક ઋષિ મુનિઓ થયા જેઓ પણ છ મંત્રોના દ્રષ્ટા થયા જેમકે: અત્રિ, અર્દ્ધસ્વન, શ્યાવાશ્વ, ગવિષ્ઠિર, કર્ણક અને પૂર્વાતિથિ. વળી એમના વંશની વૃદ્ધિ નવ ઋષિ વડે થઈ હતી: અત્રિ, ગવષ્ઠિર, બાહુતક, મુદ્દગલ, અતિથિ, વામરથ્ય, સુમંગલ, બીજવાપ અને ધનંજય.તેમને ઋગ્વેદના પાંચમા મંડલના ૭૨ મા સક્તના કર્તા ઋષિ ગણવામાં આવે છે. અત્રિ ઋષિની "અત્રી સંહિતા:"એ વર્ણાશ્રમનો આચાર સમજાવનારૂં અત્રિ મુનિએ રચેલું એ નામનું એક ધર્મશાસ્ત્ર છે અને "અત્રિ સ્મૃતિ" પણ તેમની કૃતિ છે. હાલના સમયે પણ અનેકો બ્રાહ્મણ કુટુંમ્બો તેમના વંશજો ગણવામાં આવે છે. 
દુર્વાસા
             દુર્વાસા હિન્દુ ધર્મનાં પ્રાચિન રૂષિ ગણાય છે. તેઓ રૂષિ અત્રિ અને અનસુયાનાં પુત્ર છે.તેઓ શિવનો અવતાર મનાય છે અને પોતાના અતિ ભયંકર ક્રોધ માટે જાણીતા છે. ક્રોધાવેશમાં આવી તે તુરંત શાપ આપી દેતા, જેને કારણે મનુષ્યો અને દેવતાઓ પણ તેનાથી ડરતા. મહાકવિ કાલિદાસના શકુંન્તલા અભિગ્યાનમાં તેઓ શકુંન્તલાને શ્રાપ આપે છે કે તેનો પ્રેમી તેને ભુલી જશે. જો કે તે જેના પર રીઝતા તેને વરદાન પણ તુરંત આપી દેતા, મહાભારતમાં પાંડુરાજાની પત્નિ કુંતીને તેમણે આપેલ વરદાનને કારણે પાંડવોનો જન્મ થયાની કથા છે. તેમણે કુંતીને વરદાનમાં મંત્ર આપેલ કે જેનાથી તે જે પણ દેવને ઇચ્છશે તે દેવ પાસેથી પુત્ર પ્રાપ્ત કરી શકશે

 ભગવાન દત્તાત્રેય

           બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોના સંયુક્ત અવતાર સ્વરુપ દત્તાત્રય  અત્રિ ઋષિને ત્યાં અવતર્યા. દત્તનો શબ્દ આપવું અને ત્રણ દેવોના વરદાન રૂપે અવતર્યા તેથી 'ત્રય' એમ આ બન્ને શબ્દોની સંધી જોડી દત્તાત્રય નામ આપવામાં આવ્યું. વળી અત્રિ ઋષિને ત્યાં અવતર્યા તેથી આત્રેય એવા નામે પણ ઓળખાય છે. નાથ સંપ્રદાયમાં દત્તાત્રયને શિવજીનો અવતાર ગણવામાં આવે છે. અને આદિનાથ સંપ્રદાયમાં ગુરુ દત્તાત્રયને આદિગુરુ માનવામાં આવે છે. તંત્રદર્શનમાં તેમને યોગેશ્વર તરીકે પૂજવામાં આવતા હોવા છતાં તેઓને આદિગુરુ તરીકે હિંન્દુ ધર્મનો બહોળો વર્ગ અને અધિકાંશ ભાગ પૂજે છે.

પતંજલિ

           યોગસૂત્રના રચનાકાર, સોમદત્ત અથવા ચંદ્રાત્રય તરીકે ઓળખાતા પતંજલિ અત્રિ ઋષિ ના ત્રીજા પુત્ર છે.આધુનિક યુગમાં ફક્ત ભારત જ નહી પણ આખા વિશ્વમાં યોગ, ધ્યાન નો પ્રચાર અને પ્રસાર ખુબ જોવા મળે છે જેમના સૂત્રકાર પતંજલિ ઋષિ છે.
તો મિત્રો આજનો લેખ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવશો.

મહાભારત પાત્ર પરિચય - ભગવાન બ્રહ્મા

             નમસ્કાર મિત્રો મહાભારત પાત્ર પરિચય આ શ્રેણીમાં બીજો પાત્ર પરિચય ભગવાન બ્રહ્માના રૂપમાં આપી રહ્યા છીએ સનાતન ધર્મ અનુસાર બ્રહ્મા સર્જનના દેવ છે.
             હિન્દુ દર્શનશાસ્ત્રોમાં ત્રણ મુખ્ય દેવ બતાવવામાં આવ્યા છે જેમાં બ્રહ્મા સૃષ્ટિ ના સર્જન કરતાં, વિષ્ણુ સૃષ્ટિના પાલનકર્તા અને મહેશ એટલે કે શંકર ભગવાને સૃષ્ટિના સહારક બતાવવામાં આવ્યા છે. ભગવાન બ્રહ્માના ચાર મુખ છે જે ચારે દિશામાં દેખે છે બ્રહ્માજીને સ્વયંભૂ જન્મ લેવા વાળા અને ચારે વેદોના રચયિતા પણ કહેવામાં આવે છે હિન્દુઓના વિશ્વાસ અનુસાર ચારે વેદ બ્રહ્માજી ના મુખથી નીકળ્યા હતા.
         
   બ્રહ્માજીની ઉત્પત્તિ ના વિષય પર વર્ણન કરવામાં આવે છે કે તેમની ઉત્પત્તિ વિષ્ણુજીની નાભિમાંથી નીકળેલા કમળ માં સ્વયંભૂ થઈ હતી અને તેમણે ચારે બાજુ દેખ્યું એટલે તેમના ચાર મોઢા થઈ ગયા. જ્યારે બ્રહ્માંડ નો જન્મ થયો ત્યારે બ્રહ્મા વિષ્ણુ ના નાભિકમળમાંથી ઉતરી આવ્યા હતા બ્રહ્માંડની રચના સમયે અસ્થાયી રૂપે તેઓ અક્ષમ હતા જ્યારે તેમને પોતાની નિંદ્રાની ભ્રાંતિ થઈ તો એમણે એક તપસ્વીની માફક તપસ્યા કરીને શ્રી હરિ વિષ્ણુ ને પોતાના હૃદયમાં સમાવી લીધા અને તેમને બ્રહ્માંડના આરંભ અને અંત નું જ્ઞાન થઇ ગયું અને તેમની રચનાત્મક શક્તિઓ પુનર્જીવિત થઈ ગઈ ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ત્યાર પછી તેમણે પ્રકૃતિ અને પુરુષ ની જોડી બનાવીને આશ્ચર્ય ચકિત કરી દેવાવાળી પ્રાણીઓની વિવિધતા બનાવી.
            ભાગવત પુરાણ અનુસાર માયાને પણ બ્રહ્માજીનું સર્જન માનવામાં આવે છે તેના સર્જન થી બ્રહ્માંડ આરંભ અને અંત પદાર્થ અને અધ્યાત્મ સારાઇ અને બુરાઈ થી રંગાઈ ગયા.ભારતીય શાસ્ત્રો માં નિર્ગુણ, નિરાકાર અને સર્વવ્યાપી માનવામાં આવતી ચેતન શક્તિ માટે બ્રહ્મ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છેતેને પરબ્રહ્મ અથવા પરમ તત્ત્વ પણ કહેવામાં આવે છે એટલે જ વેદોનો અભ્યાસ કરવા વાળા માટે બ્રાહ્મણ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે
            સાવિત્રી ને બ્રહ્મા ની પત્ની માનવામાં આવે છે બ્રહ્માજીના 17 પુત્ર હતા હતા. તથા એક પુત્રી હતી જેનું નામ શતરૂપા હતું બ્રહ્માના આ 17 પુત્રો ઉપરાંત જુદી જુદી પરિસ્થિતિ અનુસાર નો બીજા ઘણા પુત્રોનો જન્મ થયો હતો.

બ્રહ્માજીના પુત્રો

વિશ્વકર્મા અધર્મ અલક્ષ્મી આઠ વસુ ચાર કુમાર 14 મનુ અગિયાર રુદ્ર પુલસ્ત્ય પુલહ અત્રિ ક્રતુ અરણી અંગિરા રુચી ભૃગુ દક્ષ કર્દમ પંચ શિખા વોઢું નારદ મરીચિ અપાનતરતમાં વશિષ્ઠ પ્રચેતા હંસ યતિ વગેરે મળીને કુલ 59 પુત્ર હતા

બ્રહ્માના મુખ્ય પુત્રો

મનથી મરીચિ
નેત્ર થી અત્રિ
મુખથી અંગિરસ
કાંનથી પુલત્સ્ય
નાભિથી પૂલહ
હાથથી કૃતું
ત્વચા થી ભૃગુ
પ્રાણ થી વશિષ્ઠ
અંગુઠાથી દક્ષ
પડછાયાથી કંદર્પ
ખોળામાંથી નારદ
ઇચ્છા થી સનક સનંદન સનાતન અને સનતકુમાર
શરીરથી સ્વયંભૂ મનુ અને શતરૂપા
ધ્યાનથી ચિત્રગુપ્ત
પ્રાચીન ગ્રંથોમાં બ્રહ્માજીનું સન્માન કરવામાં આવે છે પરંતુ તેમની પૂજા બહુ જ ઓછી કરવામાં આવે છે ભારત અને થાઈલેન્ડમાં તેમના મંદિર બનાવવામાં આવે છે રાજસ્થાનનો પુષ્કર નો બ્રહ્મા મંદિર અને બેંગકોકના ઈરાવન મંદિર એના ઉદાહરણ છે.
વળી બ્રહ્માજી એ જ સમયનું સર્જન કર્યું એમ પુરાણ માને છે પુરાણોમાં માનવ અને બ્રહ્માના સમયની તુલના કરવામાં આવી છે તેના મુજબ એક મહાકલ્પ એટલે બ્રહ્માજીનું એક દિવસ અને એક રાત.
બ્રહ્માજીની પાંચ પત્નીઓ હતી સાવિત્રી ગાયત્રી શ્રદ્ધા મેગા સરસ્વતી એમાંથી સરસ્વતી અને સાવિત્રી નો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે એક માન્યતા એવી પણ છે કે પુષ્કરમાં યજ્ઞ દરમિયાન સાવિત્રીની અનુપસ્થિતિમાં બ્રહ્માજીએ વેદોની વિદ્વાન ગાયત્રી સાથે વિવાહ કરીને યજ્ઞ સંપન્ન કર્યો હતો આનાથી સાવિત્રી એ તેમને શાપ આપ્યો હતો કે આ સૃષ્ટિમાં તમારી પૂજા ક્યારેય નહિ થાય.
તો મિત્રો તમને મારો આ લેખ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરશો.

Monday, January 7, 2019

મહાભારત પાત્ર પરિચય - ભગવાન વિષ્ણુ

          નમસ્કાર મિત્રો આ લેખનો હેડિંગ વાંચીને તમને થતું હશે કે મહાભારત કાવ્ય અને ભગવાન વિષ્ણુને શું લેવાદેવા. પરંતુ હું જે શ્રેણી ચાલુ કરવા જઈ રહ્યો છું તેમાં જેમ જેમ તમે આગળ વાંચતા જશો તેમ તેમ તમને લાગશે કે ભગવાન વિષ્ણુ ના પાત્ર પરિચય વિના મહાભારતનું કાવ્ય અધુરું છે.

ભગવાન વિષ્ણુ


         વૈદિક સમયથી જ ભગવાન વિષ્ણુને સમસ્ત વિશ્વની સર્વોચ્ચ શક્તિ તથા નિયંત્રણ કર્તા ના રૂપમાં સ્વીકાર કરવામાં આવેલા છે.
        હિન્દુ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં, પરંપરાગત પૌરાણિક કથા ઓ અનુસાર વિષ્ણુ એ ભગવાનના ત્રણ મુખ્ય સ્વરૂપોમાંથી એક છે. પુરાણોમાં, ત્રિમૂર્તિ વિષ્ણુને વિશ્વના પાલનહાર કહેવામાં આવે છે. ત્રિમૂર્તિ ના અન્ય બે સ્વરૂપો બ્રહ્મા અને શિવ તરીકે માનવામાં આવે છે. જ્યાં બ્રહ્મા બ્રહ્માંડના સર્જક માનવામાં આવે છે, અને શિવને વિનાશક માનવામાં આવે છે. વિષ્ણુ, શિવ અને બ્રહ્મા મૂળભૂત રીતે સમાન છે એવી માન્યતા પણ ખૂબ સ્વીકૃત છે. ન્યાયનું પાલન, અન્યાયનો વિનાશ અને જીવ ની પરિસ્થિતિ મુજબ યોગ્ય જીવન જીવવા માર્ગદર્શન આપવા વિવિધ સ્વરૂપો માં અવતાર ધારણ કરનારના રૂપમાં વિષ્ણુ ને અગ્રેસર માનવામાં આવે છે.
         પુરાણો અનુસાર, વિષ્ણુની પત્ની લક્ષ્મી છે. કામદેવ એ વિષ્ણુ જીનો પુત્ર હતો. વિષ્ણુનું નિવાસ ક્ષિર સમુદ્ર છે. તેમનો પલંગ શેષનાગ ઉપર છે. તેમની નાભિમાંથી કમળ પેદા થાય છે, જેમાં બ્રહ્માજી સ્થિત છે.
          વિષ્ણુજી ના નીચલા ડાબા હાથમાં પદ્મ (કમલ), નીચલા જમણા હાથમાં ગદા (કોમોદકી), ઉપરના ડાબે હાથમાં શંખ (પંચજન્ય) અને ઉપરના જમણા હાથમાં સુદર્શન ચક્ર છે. વિષ્ણુ નો મતલબ થાય છે વ્યાપકએટલે જ કહેવાય છે કે ભગવાન વિષ્ણુ કણકણમાં વ્યાપેલા છે વૈદિક પરંપરામાં ની સુક્તો ની સંખ્યા મુજબ જોવામાં આવે તો ભગવાન વિષ્ણુને બહુ મહત્વ આપવામાં આવ્યું નથી કારણ કે તેમનું સ્તવન સુધી ફક્ત પાંચ સુકતો માં કરવામાં આવી છે પરંતુ જો સંખ્યાને ધ્યાનમાં લેવામાં ન આવે અને તેમના  પર બીઝા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે તો તેનું ખૂબ જ મહત્ત્વ છે વિષ્ણુ નો અર્થ થાય છે ખૂબ જ વિશાળ શરીર વાળાબીજુ વિષ્ણુને વાણીના દેવતા માનવામાં આવે છે તેમના નિવાસ વાણીમાં છે પરંતુ તેમનું આવાસ જોવામાં આવે તો વૈકુંઠ ધામ છે.જે ખૂબ જ તેજોમય પ્રકાશ વિચરે છે અને અનેક સીંગોવાળી ગાયો ફરતી હોય છેવિષ્ણુ ભગવાનની બીજી એક લાક્ષણિકતા છે તેમની ઇન્દ્ર સાથેની મૈત્રી જે તેમને તેની વારંવાર મદદ કરવા પ્રેરણા કરે છેવળી તે બંનેને એકબીજાની શક્તિઓ થી યુક્ત માનવામાં આવે છે તેથી જ ઘણી વાર એવું કહેવામાં આવે છે કે વિષ્ણુ સોમ પાન કરે છે અને ઇન્દ્ર તીન પાદ કરે છે.         
           અહીંયા મહાભારત ના પાત્ર તરીકે ભગવાન વિષ્ણુ નો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કારણ કે બ્રહ્માનો જન્મ વિષ્ણુના ભગવાન નાભિકમલ થી થયો હતો. બ્રહ્માથી પેદા થયા અત્રી, અત્રીથી ચંદ્ર, ચંદ્ર થી બુધ અને બુધ થી ઇલાનંદન પુરૂરવા નો જન્મ થયો હતો. પુરુરવાથી રાજા આયું તથા રાજા આયુ થી નહુષ, રાજા નહુશાના છ પુત્રો જન્મ્યા યાતી,યયાતિ,સાયતી,અયાતી, વિયાતી અને કૃતિ. રાજા નહુષ એ સ્વર્ગ પર પણ શાશન કર્યું.
આ વંશાવલી માં જેમ જેમ આગળ જઈશું તેમ તેમ કુરુ વંશનો  ઇતિહાસ છુપાયેલો જોવા મળશે. આ શ્રેણીના લેખ કુરુ વંશનાં પાત્રો વિશે લખવા ની તૈયારી કરતા એમ લાગ્યું કે ભગવાનનો વિષ્ણુ નો પરિચય આપ્યા વિના તથા તેમની વંસાવલી માં આવતા દરેક નો પરિચય આપ્યા વિના મહાભારતની કથા અધૂરી રહેશે એટલે મારાથી બનતો નમ્ર પ્રયાસ કર્યો છે. તો આ લેખ કેવો લાગ્યો તે જરૂર થી કૉમેન્ટ કરશો.

Wednesday, January 2, 2019

विक्रम संवत और शक संवत

             तो कैसे हैं दोस्तों पिछले आर्टिकल में हमने देखा कि  इसवी सन कैसे शुरू हुआ और किसने शुरू किया। आज हम देखेंगे के हिंदुओं का विक्रम संवत और शक संवत कैसे शुरू हुआ, वैसे तो हिंदू धर्म में और भी कई संवत है पर ज्यादातर यह दो संवत ही प्रचलन में है।
            जैसे इसवी सन क्रिश्चियन का कैलेंडर है वैसे ही विक्रम संवत और शक संवत हिंदू का कैलेंडर है। हिंदू पंचांग में समय गणना की प्रणाली विक्रम संवत और शक संवत है।

 विक्रम संवत

              विक्रम संवत ईशा पूर्व 57 में शुरू होता है। यानी कि यह ईसवी सन् से आगे चल रहा है। धर्मपाल भूमि वर्मा विक्रमादित्य को इसका प्रणेता माना जाता है। यह भी मान्यता है कि विक्रम संवत भारतवर्ष के सम्राट विक्रमादित्य ने शुरू किया था, लेकिन उनके जीवन काल का समय देखा जाए तो समय गणना में वह सही नहीं रहता,क्योंकि मगध के सम्राट चंद्रगुप्त द्वितीय ने उज्जैनी और अयोध्या पर विजय प्राप्त किया और खुद को सम्राट विक्रमादित्य की उपाधि दी और उनका जीवन काल देखा जाए उससे पहले विक्रमादित्य सम्राट का कोई उल्लेख नहीं मिलता है। इसलिए गुजरात के खोजकर्ता पंडित भगवानलाल इंद्रजीत ने धर्मपाल भूमि वर्मा विक्रमादित्य को इसका खोजकर्ता यानी शुरू करने वाला ठहराया है।
            एक मान्यता यह भी है कि राजा विक्रमादित्य ने अपनी संपूर्ण प्रजा का ऋण चुका कर इस संवत की शुरुआत की थी। पौराणिक कथा के अनुसार चैत्र मास के कृष्ण पक्ष की पहले दिन को ब्रह्मा जी ने सृष्टि की रचना आरंभ की थी। इसलिए हिंदू इस तिथिको नव वर्ष का आरंभ मानते है। और इसी दिन से नवरात्रि भी शुरू होती है।
          1साल का 12 महीना और 1 सप्ताह का 7 दिन रखने का प्रचलन विक्रम संवत से शुरू हुआ। हर महीने का हिसाब सूर्य और चंद्रमा की गति पर रखा जाता है। यानी कि 12 राशिया 12 सौर मास है। जिस दिन सूर्य जिस राशि में प्रवेश करता है उस दिन की संक्रांति होती है। पूर्णिमा के दिन चंद्रमा जिस नक्षत्र में होता है उसी आधार पर महीनों का नामकरण हुआ है। चंद्र वर्ष सौर वर्ष से 11 दिन 3 घाटी 48 पल छोटा है इसलिए हर 3 वर्ष में इसमें एक महीना जोड़ दिया जाता है, जिसको हम अधिक मास या पुरुषोत्तम मास कहते हैं।
यह संवत नेपाल का अधिकारिक संवत है ,आज भी नेपाल में यही राष्ट्रीय संवत है।

शक संवत

              सक संवत भारत का प्राचीन संवत है जो 78 इसवी सी आरंभहोता है।यानी कि यह ईस्वी से पीछे चल रहा है। संवत को भारत का राष्ट्रीय संवत माना जाता है ।शक संवत के विषय में खोज कर्ताओं का मत है कि उसे उज्जैनी के क्षत्रप चेस्टन ने प्रचलित किया था। वैसे एक मान्यता यह भी है कि इसका आरंभ कुषाण राजा कनिक्स महान ने अपने राज्य आरोहण को उत्सव के रूप में मनाने और उस तिथि को यादगार बनाने के लिए इसका आरंभ किया था। सक राजाओ को चंद्रगुप्त विक्रमादित्य ने समाप्त कर दिया पर उनका स्मारक शक संवत वह नहीं मिटा पाए और भारतवर्ष में आज भी वही चल रहा है।
 इस संवत की पहली तिथि चित्र के शुक्ल पक्ष की प्रथमा है। यह  संवत अन्य संवत की तुलना में कहीं अधिक वैज्ञानिक और त्रुटि हिंन है। यह संवत प्रत्येक वर्ष मार्च की 22 को शुरू होता है क्योंकि इस दिन सूर्य विषुवत रेखा के ऊपर होता है। इसी कारण दिन और रात बराबर के समय के होते हैं। लीप ईयर होने पर यह संवत 23 मार्च को शुरू होता है।और इसमें 366 दिन होते हैं।
            इस साल18 मार्च 2018 को शक संवत  2075 का प्रथम दिन था। जिस दिन नव संवत का आरंभ हुआ था उस दिन के वार के अनुसार उस वर्ष का राजा निर्धारित किया जाता है। जैसे कि 18 मार्च 2018 को रविवार होने से इस वर्ष का राजा सूर्य माना जाता है

विक्रम संवत और शक संवत में अंतर

वैसे तो शक संवत और विक्रम संवत के महीनों के नाम एक ही है और दोनों संवत मैं शुक्ल पक्ष और कृष्ण पक्ष भी है। वैसे शक संवत चैत्र मास से शुरू होते है। और विक्रम संवत कार्तिक माह से शुरू होता है। इन दोनों संवादों में अंतर सिर्फ दोनों के शुरू होने का है। विक्रम संवत में नया महीना अमावस्या के बाद के बाद की शुक्ल पक्ष की प्रथमा से शुरू होता है। और शक संवत में नया महीना पूर्णिमा के बाद कृष्ण पक्ष से शुरू होता है। इसी कारण इन दोनों संवत में तिथियों में 15 दिन का अंतर रहता।         

Tuesday, January 1, 2019

About Christian new year

इसवी सन

            दोस्तों आज हम जानेंगे ईशा के कैलेंडर के बारे में जो आज हम यूज कर रहे हैं।  और यह कैलेंडर कब शुरू हुआ कैसे शुरू हुआ इसकी विस्तृत माहिती।
             ईशा के जन्म के बाद जो कैलेंडर शुरू हुआ उसको ईशा कैलेंडर कहते है। और इसको इसवी सनसे लिखा जाता है। आज इसवी सन 2019 चल रहा है। यानी के ईशा के जन्म से 2019 साल गुजर गए हैं। ईशा के जन्म के पहले के सालों को ईसा पूर्व कहते हैं और, वह ईशा के जन्म के पहले के सालों को दर्शाता है।
            जूलियन और ग्रेगोरियन कैलेंडर में इसवी ईसा मसीह के जन्म के सालों को दर्शाया गया है और ईसा पूर्व उनके जन्म से पूर्व के वर्षों को दर्शाता है।

जूलियन कैलेंडर

            जूलियन कैलेंडर प्राचीन प्रकार का रोमन कैलेंडर था जो दोषपूर्ण था उसकी जगह आज ग्रेगोरी कैलेंडर उपयोग में लिया जाता है।

ग्रेगोरियन कैलेंड

              ग्रेगोरियन कैलेंडर या के ग्रेगोरी काल दर्शन दुनिया में लगभग हर जगह उपयोग किया जाने वाला तिथि पत्रक है, यह जूलियन कालदर्शक का रूपांतरण है। इसे पोप ग्रेगरी ने लागू किया था इसीलिए इसका नाम ग्रेगोरियन कालदर्शक पड़ा। इससे पहले जूलियन कालदर्शक प्रचलन में था जिसमें कई त्रुटि आती थी जिन्हें ग्रेगोरी कालदर्शक में दूर किया गया। जैसे हिंदू धर्म में मूल इकाई तिथि होती है वैसे ही ग्रेगोरी काल दर्शन में मूल इकाई दिन होता है। और 365 दिन का 1 साल होता है किंतु किंतु हर 4 साल में एक दिन ज्यादा गिनती किया जाता है यानी कि वह साल 366 दिन का गिना जाता है, जिसे अधिवर्ष या लीपयर कहा जाता है सूर्य पर आधारित यह पंचांग 1,46,097 दिनों में बांटा गया है यानी कि इतने साल बाद इसको दोहराया जाता है। इसे 400 सालों में बांटा गया है और यह 20,871 सप्ताह के बराबर होता है इन 400 वर्षों में 303 साल 365 दिन के होते हैं और 97 साल लीप ईयर होते हैं जिनमें  366 दिन होते हैं। इस प्रकार हर वर्ष में 365 डेज 5 घंटे 49 मिनट और 12 सेकंड होते हैं।

कैलेंडर में सुधार

        पुराने जूलियन कैलेंडर में 1 वर्ष में 365 दिन 6 घंटे का समय होता था किंतु इसके कारण हर साल में 11 मिनट और 14 सेकंड अधिक गिनती होते थे जबकि वर्ष 365 डेज 5 घंटा 48 मिनट और 46 सेकंड का होता था। वैसे इतने घंटे से क्या फर्क पड़ेगा ऐसा हम सोचते हैं, पर जब 400 सालों में देखा जाए तो यह 3 दिन के बराबर होते हैं जो बहुत ही ज्यादा होते है इसके कारण 1582 में होने वाला नाइस नगर का धर्म सम्मेलन 10 दिन पीछे चल रहा था।जो इसवी सन 325 में सुरु हुआ था। इस भूल पर सर्वप्रथम रोम के पॉप ग्रेगरी ने जो के13 वे पॉप  थे उन्होंने गहराई से   विचार किया इस से उन्हों ने निपल्स के ज्योतिषी एलाय सियास लिलियास के साथ विचार-विमर्श करके 1582 के 5 अक्टूबर में 10 दिन जोड़कर उसे 15 वीं अक्टूबर घोषित कर दिया और यह नियम लगाया 4 साल की बजाए यदि 400 साल से पूरी तरह विभाजित हो उसी वर्ष को लीप यर माना जाएगा
            1582 ईस्वी के बाद 1700 में 28 फरवरी तक पुराने कैलेंडर से नए कैलेंडर की तारीख में 10 दिन की वृद्धि रही बीच में 1600 ईसवी जो कि 400 से पूरी तरह विभाजित होता था लेकिन और नई पद्धती में वाह लीप ईयर होता किंतु उसमें तारीख में अंतर करने हेतु 1 दिन की वृद्धि नहीं की गई जो कि हर एक 400 साल में करना था हर 400 साल में 1 दिन बढ़ाया जाना था यानी ईसवी सन् 1600 सौ में 10 दिन बढ़ाए गए, 1700 ईस्वी में 11 दिन जोड़े गए, 1800 ईस्वी में 12 दिन और, 1900 इसवी में फरवरी के बाद 13 दिन जोड़े गए जोकि 2000 ईस्वी में 400 से पूरी तरह विभाजित होने के कारण यह वृद्धि 13 दिन की ही रहेगी अत्यधिक एक दिन बढ़ेगा नहीं
            तो दोस्तों बताइए यह जानकारी आपको कैसी लगी और हमारी ऐसी जानकारी पाने के लिए हमारे ब्लॉक को पढ़ते रहिए